અમદાવાદના જુહાપુરામાં યુવકની રવિવારે મોડી રાત્રે હત્યા કરવામાં આવી છે. પાડોશીના ઝઘડાએ હિંસક રૂપ ધારણ કરતા 20 વર્ષના યુવકની ચપ્પુના ઘા મારી હત્યા કરવામાં આવી છે. સંકલિતનગરમાં યુવકની હત્યાથી ચકચાર મચી જવા પામી છે. મૃતક સુફિયાનને અજાણ્યા લોકોએ ચપ્પુના ઘા ઝીંકી દીધા હતા. આ ઘટના મામલે 5 આરોપીઓ હાલ ફરાર થયા છે.


જુહાપુરામાં યુવકની હત્યા

આ ઘટના મામલે પોલીસે જણાવ્યા અનુસાર થૂંકવા બાબતે પિતા સાથે બોલાચાલી થઈ હતી. આ બોલાચાલી હુમલા સુધી પહોંચી ગઈ હતી. પિતાને બચાવવા માટે જતા આરોપીઓએ તેના પર હુમલો કર્યો હતો. ચપ્પાથી અનેક ઘા કરતા યુવક ઘાયલ થયો હતો. યુવકને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન યુવકનું મોત થયું છે.

થૂંકવા બાબતે બોલાચાલી બાદ મામલો ઉગ્ર બન્યો

આ ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી.પોલીસે આરોપીઓ સામે હત્યાનો ગુનો નોંધી ફરાર આરોપીઓની શોધખોળ હાથ ધરી છે. પોલીસના જણાવ્યા અનુસાર સામન્ય બોલાચાલી બાદ ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ લીધું હતું. બંને પરિવાર વચ્ચે અગાઉની અનબનમાં હિંસક ઝઘડો બન્યો હતો.


  • Follow us on: