અમદાવાદના અંબાપુર મર્ડર કેસના મુખ્ય આરોપી વિપુલ પરમારનું પોલીસ એન્કાઉન્ટરમાં મોત નીપજ્યું છે. પોલીસ પર હુમલો કરી રિવોલ્વર છીનવી ભાગવાનો પ્રયાસ કરતા પોલીસે સ્વબચાવમાં તેને ઠાર માર્યો હતો. આ અથડામણમાં એક પીઆઈ અને એક કોન્સ્ટેબલ સહિત બે પોલીસ કર્મચારીઓ પણ ઘાયલ થયા છે. અંબાપુર મર્ડર કેસમાં ઝડપાયેલા આરોપી વિપુલ પરમારને ગુનાનું રિકન્સ્ટ્રક્શન કરવા માટે પોલીસની ટીમ કેનાલ પાસેના ઘટનાસ્થળે લઈ ગઈ હતી.


સાયકો કિલર વિપુલ પરમારનું એન્કાઉન્ટર

આ દરમિયાન આરોપીએ અચાનક હુમલો કરી કોન્સ્ટેબલ રાજેન્દ્રસિંહની રિવોલ્વર છીનવી લીધી હતી અને ભાગવાનો પ્રયાસ કર્યો હતો. આરોપીના આ હુમલાથી કોન્સ્ટેબલ રાજેન્દ્રસિંહને ગોળી વાગવાથી ઈજા થઈ હતી. ઉપરાંત એલસીબીના પીઆઈ વાળાને પણ સામાન્ય ઈજા પહોંચી હતી. પોતાની અને અન્ય પોલીસકર્મીઓની સુરક્ષા માટે પોલીસે સ્વબચાવમાં આરોપી વિપુલ પરમાર પર ગોળીબાર કરવો પડ્યો હતો.

પોલીસ પાસેથી રિવોલ્વર છિનવીને કર્યો હતો હુમલો

જેના કારણે તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. ઘટનાની જાણ થતાં જ ગાંધીનગર રેન્જ IG સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. પોલીસે સ્થાનિક પોલીસ અને ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીની હાજરીમાં ઘટનાસ્થળનું પંચનામું કર્યું હતું અને બુલેટના સેમ્પલ પણ લીધા હતા. આ મામલે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 

રેન્જ આઈજી વીરેન્દ્ર યાદવનું નીવેદન

ગાંધીનગરના રેન્જ આઈજી વીરેન્દ્ર યાદવે આપ્યું નીવેદન. રેન્જ IGએ કહ્યું કે ગુનાની તપાસ LCBને સોંપાઈ હતી. પંચનામું કરવા LCBની ટીમ પહોંચી હતી. સાંજે 4.45 કલાકે ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. ત્યારબાદ આરોપીએ પાલીસના હથીયાર ઝૂંટાવીને પોલીસ પર અને LCBના વાહનો પર ફાઈરીંગ કર્યું હતું. તેમજ પોલીસે સ્વબચાવમાંફાઈરીંગ કર્યું હતું. જેમાં આરોપી વિપુલ પરમારનું મોત નીપજ્યું હતું.

  • Follow us on: