અમદાવાદમાં રથયાત્રાને લઈને તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. રથયાત્રાને લઈને ચાલતી અફવાઓનું ખંડન કરતા જગન્નાથમંદિરના ટ્રસ્ટી દ્વારા આજે મહત્વનું નિવેદન આપવામાં આવ્યું હતું. તેમણે કહ્યું કે આ એક ધાર્મિક પ્રસંગ છે. કોઈ મનોરંજન માટે આ રથયાત્રા નથી નીકળતી. અને રથયાત્રાની ઉજવણી પહેલા શહેરમાં રાંચરડાના હનુમાન મંદિર ખાતે પણ હનુમાન ચાલીસા અને સુંદરકાંડના પાઠનું આયોજન કરવામાં આવ્યું છે.
મંદિરમાં વિશેષ પાઠનું આયોજન













