અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં મહિલા તબીબે કરેલી દાદાગીરીના મુદ્દે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરીયાએ તપાસના આદેશ આપ્યા છે. મહિલા તબીબે કરેલી ગેરવર્તણૂંકના મામલે આરોગ્ય વિભાગ દ્વારા તપાસ શરુ કરી દેવાઇ છે.


વાયરલ વીડિયોમાં મહિલા તબીબ ગેરતવર્તણૂંક કરતી હોવાનું પણ જોવા મળે છે

અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલ અવાર નવાર સ્ટાફની ગેરવર્તણૂંકના કારણે વિવાદોમાં આવતી રહે છેે ત્યારે તાજેતરમાં એક વીડિયો વાયરલ થયો હતો જેમાં સોલા સિવિલના પીડીયાટ્રીક વિભાગની મહિલા રેસીડેન્ટ ડોક્ટરે દર્દીને સારવાર આપવાની ના પાડી દીધી હોવાનું જોવા મળે છે. વાયરલ વીડિયોમાં મહિલા તબીબ ગેરતવર્તણૂંક કરતી હોવાનું પણ જોવા મળે છે.

 હું ટ્રીટમેન્ટ નહી કરું. તમારે જ્યાં જવું હોય ત્યાં જાવ

અજય ચાવડા નામનો વ્યક્તિ તેની બિમાર ભત્રીજીને લઇને સારવાર માટે સોલા સિવિલમાં આવ્યો હતો ત્યારે તેની સાથે આ ઘટના બની હતી. તેઓ દર્દીને લઇને હોસ્પિટલમાં ગયા ત્યારે ત્યાં કોઇ ડોક્ટર હાજર ન હતા. થોડીવાર બાદ મહિલા ડોક્ટર આવ્યા હતા અને તેમણે થર્મોમીટર લગાવવા બાબતે દર્દીના સગાઓ સાથે ઉદ્ધતાઇથી વાત કરી હતી. ત્યારબાદ અજય ચાવડા નામના વ્યક્તિએ મોબાઇલ ચાલુ કરતા મહિલા તબીબો ફોન પર લહાથ માર્યો હતો અને કહ્યું કે તમે મારી સાથે ગેરવર્તણૂક કરી છે એટલે હું ટ્રીટમેન્ટ નહી કરું. તમારે જ્યાં જવું હોય ત્યાં જાવ . ચીફ મિનીસ્ટર પાસે જવું હોય તો પણ જાવ

આરોગ્ય સચિવને તાત્કાલિક તપાસના આદેશ આપ્યા

હવે સોલા સિવિલમાં મહિલા તબીબની દાદાગીરી મુદે આરોગ્ય વિભાગ એક્શનમાં આવ્યું છે અને આરોગ્ય મંત્રી પ્રફૂલ પાનસેરિયા સમગ્ર ઘટનાની તપાસના આદેશ આપ્યા છે. આરોગ્ય મંત્રીએ આરોગ્ય સચિવને તાત્કાલિક તપાસના આદેશ આપ્યા છે તેમણે કહ્યું છે કે કોઈપણ તબીબી કર્મચારી કે અધિકારી દ્વારા દર્દી સાથે અયોગ્ય વર્તન કરવામાં આવશે તો તે નિષ્પક્ષ તપાસ કરીને યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે 

  • Follow us on: