અમદાવાદના જાણીતા ઓર્થોપેડિક સર્જન તેમનો જન્મદિવસ અનોખી રીતે ઉજવવા માટે જઈ રહી રહ્યાં છે, વિશ્વામાં પહેલી વખત ષષ્ઠીપૂર્તિ મહાયજ્ઞનું આયોજન થઈ રહ્યું હોય તેવી વાત સામે આવી છે, પાંડુરંગ શાસ્ત્રીજી આઠવલે તથા દીદીજીને આ પૂજા ગમતી હોવાથી સ્પેશિયલ પૂજાનું આયોજન કરવામાં આવ્યું છે. આ પૂજામાં તેમના મિત્રો અને સ્વજનો હાજર રહેશે. મેહુલ મશ્કરિયાના પત્ની પણ ગાયનેકોલોજીસ્ટ ડોકટર છે અને તેમના બે જમાઈ ઓર્થોપેડિક ડોકટર અને બન્ને પુત્રીઓ પણ ગાયનેકોલોજીસ્ટ ડોકટર છે, મેહલુ ભાઈના પુત્ર પણ ITના વ્યવસાથ સાથે જોડાયેલા છે.  


વિશ્વમાં સર્વ પ્રથમ શાસ્ત્રોક્ત પધ્ધતિએ ષષ્ઠીપૂર્તિનું આયોજન

ડો.મેહુલભાઈ વિનોદરાય મશ્કારિયાની ષષ્ઠીપૂર્તિ (60વર્ષ )નિમિત્તે તેમણે તેમની ભાવના અનુસાર "ષષ્ઠીપૂર્તિ મહાયજ્ઞ મહાપૂજા " નું આયોજન કરેલ છે, તેમાં મેહુલભાઈ સહિત તેમના 34 પુણ્યશાળી સ્વજનો અને મિત્રો (60 વર્ષ ની આસપાસના )પોતપોતાનાં 8 કુટુંબીજનો સાથે તેમજ 60 બ્રાહ્મણો સાથે પોતપોતાનાં આગવા યજ્ઞ કુંડમાં પોતપોતાની ષષ્ઠીપૂર્તિ પૂજા -ઉગ્રરથશાન્તિ યજ્ઞ કરશે. આ મહાયજ્ઞમાં ભાગ લેવા અમેરિકાથી, લંડનથી તેમના મિત્રો-સગા-સબંધીઓ આવી રહ્યા છે.

34 દંપતીને પણ પોતાની સાથે આવો યજ્ઞ કરાવે તેવું આયોજન ભારતમાં પ્રથમ વાર થઈ રહેલ છે

આ મહાયજ્ઞ પ્રિન્સિપાલ ડૉ. યોગેશ્વર શાસ્ત્રીજી તથા તેમના 60 બ્રાહ્મણોની ટીમના આયોજન હેઠળ થઈ રહ્યા છે. આ યજ્ઞ એક ખૂબ યુનિક ઘટના છે. વ્યક્તિ પોતાની ષષ્ઠીપૂર્તિ કરી શકે છે પણ એકસાથે 34 દંપતીને પણ પોતાની સાથે આવો યજ્ઞ કરાવે તેવું આયોજન ભારતમાં પ્રથમ વાર થઈ રહેલ છે. તેનો રેકોર્ડ લેવા “ યુનિક વર્લ્ડ રેકોર્ડવાળા “પણ આવવાના છે.

સ્વાસ્થ્યના આશીર્વાદ લેવાના હોય છે તે માટે આ યજ્ઞનું ખાસ આયોજન

ડો.મેહુલભાઈ મશ્કારિયા પોતે જૈન હોવાથી તેમની ષષ્ઠીપૂર્તિ મહાયજ્ઞ કર્યાના બીજા દિવસે તેમના જૈન સગા-વહાલા (લગભગ 170 લોકો) સાથે જીરાવાલા પાર્શ્વનાથ (રાજસ્થાન)ની 2 દિવસની કુટુંબયાત્રા કરાવવા લઈ જશે . જેમાં તેઓ પંચતીર્થ (પાંચ જૈન તીર્થ) ની યાત્રા કરાવવાના છે. ષષ્ઠીપૂર્તિ યજ્ઞ-યાત્રા આ બધા નો હેતુ :60 વર્ષ સુધી પ્રભુ એ આપેલ અધધ.. ઐશ્વર્ય (પદ-પ્રતિષ્ઠા-પૈસા -સ્વાસ્થ્ય..)માટે "thanks giving" અને હવે બાકી રહેલા આયુષ્યમાં ભગવતકાર્ય-શુભકાર્ય નો સંકલ્પ અને નિરામય સ્વાસ્થ્યના આશીર્વાદ લેવાના હોય છે.


  • Follow us on: