અમદાવાદમાં દિવસે દિવસે વાયુ પ્રદૂષણની માત્રામાં વધારો થઈ રહ્યો છે. વાયુ પ્રદૂષણના કારણે લોકોના સ્વાસ્થ્યને પણ અસર થવા માંડી છે. ત્યારે શહેરમાં વાયુ પ્રદૂષણ ઘટાડવા માટે મહાનગર પાલિકા દ્વારા એર સેન્સર લગાવવામાં આવશે. તંત્રને એર સેન્સરથી પ્રદૂષણ અને પ્રદૂષિત હવા અંગે જાણ થશે. જે જગ્યાએ પ્રદૂષણ વધશે ત્યાં ફાયર કે ગાર્ડન વિભાગને જાણ કરાશે.
લિકવિડ ફોર્મનો ઉપયોગ કરી પ્રદુષણ ઓછું કરાશે
મહાનગર પાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ કહ્યું હતું કે, એર સેન્સરના કારણે તંત્રને જે જગ્યાએ પ્રદૂષણ થઈ રહ્યું છે તેની જાણ થશે અને તે અંગે જે તે વિસ્તારના ફાયર કે ગાર્ડન વિભાગને જાણ કરવામાં આવશે. ધુમાડો વધતાં ફાયર બ્રિગેડ દ્વારા પાણીનો છંટકાવ કરવામાં આવશે.













