વાંકાનેર તાલુકાના કોઠી મહિકા ગામમાં ખનીજ માફિયાના ત્રાસથી 3 યુવાનોએ આપઘાતનો પ્રયાસ કરતા ખળભળાટ મચી ગયો છે. ગામના 3 યુવકો કલ્પેશ, વિશાલ, યશ બાંભણિયાએ આપઘાતનો પ્રયાસ કર્યો છે જેમાં હોસ્પિટલમાં સારવાર દરમિયાન 16 વર્ષીય યશનું મોત થયું છે. આરોપીઓ સામે કાર્યવાહી કરવાની પરિજનોની માગ કરી છે અને કાર્યવાહી ન થાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો છે. હાલ બે યુવાન રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.


ખનીજ માફિયાના ત્રાસથી ત્રણ યુવાનો આપઘાત પ્રયાસ 

વાંકાનેર તાલુકાના કોઠી મહિકા ગામમાં ખનીજ માફિયાના ત્રાસથી ત્રણ યુવાનો આપઘાત પ્રયાસ કર્યો. બનાવામાં થયેલા નુકસાન અને પરિવારની માંગણીઓ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી દીધી છે. આપઘાતનો પ્રયાસ કરનારા યુવાનોમાં કલ્પેશ, વિશાલ અને 16 વર્ષીય યશ બાંભણિયોનો સમાવેશ થાય છે. ઘટના બાદ યુવાનોને તાત્કાલિક હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન 16 વર્ષીય યશનું મોત થયું. બે અન્ય યુવાન હાલ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

 પરિવારની માંગ

પરિજનો આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી પીડા સાથે માંગ કરી રહ્યા છે. કાયદાકીય કાર્યવાહી ન થવા સુધી તેમણે મૃતદેહ સ્વીકારવાનો ઇન્કાર કર્યો છે. પરિવારના સભ્યે આરોપ લગાવ્યો હતો કે આ ત્રણેય દિકરાને એમ એસ પટેલ, રાજવીર સહિતના શખ્સો ધમકી આપીને ગયા હતા કે જમીન ખાલી કર.. વિટ્ઠલ મોતી, ભરત મોતી અને ગોબર અને 2 ભરવાડ તથા સરપંચનો ભાઇ સહિતે ભેગા થઇને ધમકી આપી છે અને મારા ભાઇનો દિકરાનું મોત થયું છે. 32 કલાક થઇ ગયા પણ પોલીસ ફરિયાદ લેતી નથી. 

સ્થાનિક પ્રતિક્રિયા

ઘટનાએ સમગ્ર વિસ્તારના લોકોમાં ખળભળાટ સર્જ્યો છે. પોલીસ દ્વારા પણ તપાસ શરૂ કરવામાં આવી છે અને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.


વધું વાંચો---- Botad : વિરડી સહિતના ગામોમાં બે મહિનાથી ભેદી ધડાકાને લઇ ગામ લોકોમાં ભય, સીસ્મોમીટર મુકાયું

  • Follow us on: