ગુજરાતમા માવઠાને કારણે ખેડૂતોના પાકને મોટુ નુકસાન પહોંચ્યું છે. બીજી તરફ વરસાદ રોકાયા બાદ માર્કેટ યાર્ડમાં જણસી વેચવા આવેલા ખેડૂતોની લાઈનો લાગેલી જોવા મળી રહી છે. અમદાવાદમાં જેતલપુર APMCમાં ખેડૂતોની લાઈનો લાગી છે. ડાંગરનો પાક લઈને આવેલા ખેડૂતોની મોટી કતારો જોવા મળી રહી છે. ખેડૂતોને ડાંગરનો સારો ભાવ મળે તેવી આશા છે.


અમદાવાદની જેતલપુર APMCમાં લાગી લાઇનો

અમદાવાદની જેતલપુર APMCમાં ડાંગરનો પાક લઈને વેચવા માટે આવેલા ખેડૂતોની મોટી કતારો જોવા મળી રહી છે. ખેડૂતોને ડાંગરનો સારો ભાવ મળે તેવી આશા છે. વરસાદને કારણે ખેડૂતો સહિત વેપારીઓને પણ નુકસાન પહોંચ્યું છે. વેપારીઓએ ખરીદેલી ડાંગરનો જથ્થો પલળી જતાં ભારે નુકસાન થયું છે. જેથી ખેડૂતોને પણ અપેક્ષા કરતાં ડાંગરનો ભાવ ઓછો મળી રહ્યો છે. ડાંગરનો પ્રતિ મણ 450ના ભાવ સામે 350થી 380 રૂપિયા સુધીનો ભાવ મળી રહ્યો છે.

ખેડૂતોને પણ અપેક્ષા કરતા ઓછો મળી રહ્યો છે

અમદાવાદમાં ગઈકાલે પડેલા વરસાદથી વેપારીઓને પણ નુકસાન પહોંચ્યું છે. APMC માર્કેટમાં ગણ્યા ગાંઠ્યા વેપારીઓ જ છે. માવઠાને કારણે માલ કેવી રીતે સાચવવો તેની વેપારીઓને ચિંતા છે. આ ઉપરાંત માવઠામાં બચી ગયેલો પાક લઈને ખેડૂતો હાલમાં માર્કેટમાં વેચાણ માટે નીકળ્યા છે. ગઈ કાલે જસદણ માર્કેટ યાર્ડમાં મગફળી વેચવા માટે આવેલા ખેડૂતો આખી રાત લાઈનમાં ઉભા રહ્યા બાદ વેચાણ નહીં થતાં પરત ફરવા મજબૂર થયા હતાં.


  • Follow us on: