વડોદરામાં પાદરાનો ગંભીરા બ્રિજ તૂટ્યા બાદ સરકાર અને તંત્ર દ્વારા રાજ્યના અન્ય બ્રિજોની મરામત અને તપાસ શરૂ કરી દેવામાં આવી છે. આ મુદ્દે અમદાવાદ શહેરમાં બ્રિજોની સ્થિતિ અંગે હાઈકોર્ટમાં યોજાયેલી સુનાવણીમાં મહાનગર પાલિકા દ્વારા સબ સલામત હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. કોર્ટમાં રજૂ કરવામાં આવેલા સોગંદનામામાં AMCએ બ્રિજની કામગીરી અને સ્થિતિનો ઉલ્લેખ કર્યો છે.
નિરીક્ષણ બાદ જર્જરિત બ્રિજની મરામત કરાઈ રહી છે
AMC દ્વારા હાઈકોર્ટમાં રજૂ કરવામાં આવેલા સોગંદનામામાં શહેરમાં બ્રિજની સ્થિતિ અને કામગીરી અંગેનો ઉલ્લેખ કર્યો છે. AMC દ્વારા કહેવાયું છે કે, નવા બનતા બ્રિજમાં ખામી ન રહે તે ચકાસણી કરવામાં આવે છે. નિરીક્ષણ બાદ જર્જરિત બ્રિજની મરામત કરાઈ રહી છે. 2 ફૂટ ઓવરબ્રિજની કામગીરી પૂર્ણ કરાઈ છે. SG હાઇવે પર 5 નવા ફૂટ ઓવરબ્રિજ બનાવશે. શાહીબાગ પાસે ફૂટ ઓવરબ્રિજ બનાવ્યાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. કેમ્પ હનુમાન મંદિર પાસે ફૂટ ઓવરબ્રિજ બનાવ્યો હોવાનું પણ જણાવાયું છે.
AMCએ હાઈકોર્ટમાં સબ સલામત હોવાનો દાવો કર્યો
અમદાવાદ શહેરમાં જર્જરિત હાલતમાં રહેલા બ્રિજ અંગે AMCએ હાઈકોર્ટમાં સબ સલામત હોવાનો દાવો કર્યો હતો. AMCએ રજૂ કરેલા સોગંદનામામાં કહ્યું હતું કે, શહેરમાં નવા બની રહેલા બ્રિજમાં કોઈ ખામી ના રહે તે માટે ચકાસણી કરવામાં આવી રહી છે. એસજી હાઇવે પર 5 નવા ફૂટ ઓવર બ્રિજ બનાવવામાં આવશે. શાહીબાગ અને કેમ્પ હનુમાન મંદિર પાસે બે ફૂટ ઓવરબ્રિજ બનાવ્યા છે. શહેરના જર્જરીત બ્રિજો પર નિરીક્ષણ બાદ બ્રિજોની મરામત કરાઈ રહી છે.