અમદાવાદમાં ઘણા વિસ્તારોમાં કોર્પોરેશનની જમીન પર દબાણ જોવા મળે છે. જેમાં પાક્કા બાંધકામ કરીને કોર્પોરેશનની જમીનને પચાવી લેવા દબાણ ઉભુ કરી દેવામાં આવે છે. જે સામે અમદાવાદ મહાનગરપાલિકા (AMC) દ્વારા કાર્યવાહી કરવામાં આવે છે. આવું જ એક દબાણ જમાલપુરમાં આવેલા ત્રિકમજી મંદિરની જગ્યા પર કરવામાં આવ્યું હતું. જે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હટાવવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.


બિલાલ શેખ દ્વારા કરાયું હતું દબાણ

ઘટનાની મળતી વિગતો અનુસાર, અમદાવાદ શહેરમાં આવેલા જમાલપુર વિસ્તારમાં આવેલા ત્રિકમજી મંદિરની જગ્યા પર દબાણ ઉભું કરીને પાક્કુ બાંધકામ કરી દેવામાં આવ્યું હતું. આ બાંધકામ આરોપી બિલાલ શેખ દ્વારા કરવામાં આવ્યું હતું. બિલાલે જમાલપુર ત્રિકમજી મંદિરની જગ્યા પર દબાણ ઉભું કરીને આ જગ્યા પચાવી પાડી હતી. આ બાંધકામ ગેરકાયદેસર હોવાના કારણે કોર્પોરેશન દ્વારા તેને તોડી પાડવામાં આવ્યું હતું.

13 હજાર વાર જગ્યા ખુલ્લી કરાઈ

આ ત્રિકમજી મંદિર જમાલપુર કાંચની મસ્જિદ પાસે આવેલું છે, જ્યાં ગેરકાયદેસર બાંધકામો તોડી પાડવામાં આવ્યા છે. ગેરકાદેસર બાંધકામો દુર કરીને 13 હજાર વાર જેટલી જગ્યા ખુલ્લી કરવામાં આવી છે. દબાણ ઉભૂં કરવાના મામલે ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં બિલાલ શેખ સામે ગુનો નોંધવામાં આવ્યો છે. ત્રિકમજી મંદિરની જગ્યા પચાવનારા આરોપીના બાંધકામ મનપાનું બુલ્ડોઝર ફરી વળ્યું છે. તો પોલીસે ગુનો નોંધી તેની સામે કાર્યવાહી હાથ ધરી છે.

ઉલ્લેખનીય છે કે, જમાલપુર કાંચની મસ્જિદ પાસે આવેલી બિલ્ડિંગ અને અન્ય બાંધકામ તોડી પાડવામાં આવ્યા છે. ભૂતકાળમાં લાટી બજાર માટે AMC દ્વારા આ જગ્યા ફાળવવામાં આવી હતી. 1995માં લાટી બજાર માટેનો કરાર પૂર્ણ થયા બાદ આ જગ્યા પર બિલાલ શેખ દ્વારા પાક્કા બાંધકામ કરી દેવાયા હતા. જે કારણે ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં બિલાલ શેખ સામે ગુનો નોંધવામાં આવ્યો છે.

  • Follow us on: