અમદાવાદના નરોડામાં લોકોના પગના તળિયા લાલ થતા લોકોમાં કૂતુહલ છવાઇ ગયું હતું. કેટલાક લોકોએ તે માની જ લીધું હતું કે આ માતાજીનો પરચો છે પણ ઘટના સ્થળે સંદેશ ન્યૂઝની ટીમ પહોંચી હતી અને તપાસ કરી તો જાણવા મળ્યું હતું કે કોઇ કેમિકલ ઢોળાયુ હોવાથી લોકોના પગના તળિયા લાલ થઇ રહ્યા છે


નરોડામાં ઇન્દ્રપ્રસ્થ સોસાયટીના લોકોના પગના તળિયા લાલ થતાં લોકોમાં કૂતુહલ

અમદાવાદના નરોડામાં ઇન્દ્રપ્રસ્થ સોસાયટીના લોકોના પગના તળિયા લાલ થતાં લોકોમાં કૂતુહલ જોવા મળ્યું હતું. છેલ્લા બે દિવસથી લોકોના પગના તળિયા લાલ થઇ રહ્યાં હતા. અચાનક જ લોકોના પગના તળિયા લાલ થતાં લોકોમાં અનેક પ્રકારની ચર્ચાઓ પણ શરુ થઇ ગઇ હતી.

સંદેશ ન્યૂઝની ટીમ તપાસ માટે પહોંચી

કેટલાક લોકોએ માતાજીનો પરચો હોવાનું માન્યું હતું. આ બાબતના સોશિયલ મીડિયામાં કેટલાક વીડિયો પણ વાયરલ થયા હતા જેથી સંદેશ ન્યૂઝની ટીમ તપાસ માટે પહોંચી હતી.

કોઇ કેમિકલના કારણે લોકોના પગના તળિયા લાલ

સંદેશ ન્યૂઝની ટીમે સ્થળ પર પહોંચીને હકીકત જાણવાનો પ્રયાસ કરતાં ચોંકાવનારી માહિતી મળી હતી કે કોઇ કેમિકલના કારણે લોકોના પગના તળિયા લાલ થઇ રહ્યાં છે. પાણીમાં કે અન્ય રીતે કેમિકલ ફેલાયાનો લોકોએ મત વ્યક્ત કર્યો હતો.

બાળકો-વૃદ્ધોને શ્વાસ લેવામાં પણ સમસ્યા

બે દિવસથી બાળકો-વૃદ્ધોને શ્વાસ લેવામાં પણ સમસ્યા જોવા મળી રહી છે. આરોગ્ય વિભાગ આ મામલે યોગ્ય તપાસ કરે તેવી લોકોની માગ છે. રહીશોના પગ લાલ થતા માતાજીના પરચાની અંધશ્રદ્ધા સોશિયલ મીડિયામાં ફેલાઇ હતી.


  • Follow us on: