અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા નાગરિકોની સમસ્યાઓના નિવારણ માટે એક મહત્વપૂર્ણ અને પ્રશંસનીય નિર્ણય લેવામાં આવ્યો છે. હવે AMC ના તમામ અધિકારીઓને સવારે 11 થી બપોરે 1 વાગ્યા સુધી ફરજિયાતપણે પોતાની ચેમ્બરમાં હાજર રહેવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ નિર્ણયનો મુખ્ય ઉદ્દેશ મુલાકાતીઓની રજૂઆતો સાંભળવી અને તેમની સમસ્યાઓનું તાત્કાલિક નિરાકરણ લાવવાનો છે.
AMC ના તમામ અધિકારીઓને અપાઈ સૂચના













