અમદાવાદની સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યાના કેસમાં પોલીસે બે સગીરોની સંડોવણીનો આઘાતજનક ખુલાસો કર્યો છે. પોલીસની તપાસમાં જાણવા મળ્યું છે કે, આ હત્યા કોઈ આર્થિક કે વ્યવસાયિક અદાવતને કારણે નહીં, પરંતુ માત્ર એક સામાન્ય ઝઘડાને કારણે થઈ હતી. 13 ઓગસ્ટના રોજ મૃતક વિદ્યાર્થીનો તેના પિતરાઈ ભાઈ સાથે ઝઘડો થયો હતો, જેની અદાવતમાં સગીર આરોપીએ કટર કીટ વડે વિદ્યાર્થીની હત્યા કરી હતી. પોલીસે આ કેસમાં અત્યાર સુધીમાં પ્રિન્સિપાલ અને શિક્ષકો સહિત 15 લોકોના નિવેદન લીધા છે.
આરોપીઓની ઓળખ અને ગુનાહિત પૃષ્ઠભૂમિ













