અમદાવાદમાં વરસાદી માહોલ હાલ પુરતો શાંત થયો છે. પરંતુ રસ્તા પર ખાડાઓનું સામ્રાજ્ય વધ્યુ છે. તંત્રની બેદરકારીના કારણે સ્થાનિકો હાલાકી ભોગવી રહ્યા છે. મનપાની અધુરી કામગીરીના કારણે રહીશો પોતાનો રોષ ઠાલવી રહ્યા છે. ખાડા પડવાના કારણે વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. વાહન ખાડામાં પડી જતા તેને બહાર કાઢવું મુશ્કેલ સાબિત થઇ રહ્યુ છે. અને તંત્રને વારંવાર રજૂઆત કર્યા બાદ પણ કોઇ કાર્યવાહી ન કરાતા સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે.
ખાડાઓ બન્યા મુસીબત













