અમદાવાદમાં એર ઈન્ડિયાની ફ્લાઈટ ક્રેશની ઘટના બની છે. આ પ્લેન દુર્ઘટનામાં ગુજરાતના જંબુસર, આણંદ અને પાલનપુરના કુલ ચાર લોકો સવાર હતા. પ્લેન ક્રેશ થતા પરિવારમાં ચિંતાનો માહોલ છવાયો છે.


22 વર્ષીય યુવાન લંડન જઈ રહ્યો હતો
અમદાવાદમાં એર ઈન્ડિયાની ફ્લાઈટ ક્રેશની ઘટના બની છે. આ પ્લેનમાં આણંદના તારાપુરનો યુવાન સવાર હતો. 22 વર્ષીય પાર્થ પપ્પુભાઈ શર્મા લંડન જઈ રહ્યો હતો. પરિવારજનો-મિત્રો એરપોર્ટ પર મુકવા ગયા હતા. પ્લેન ક્રેશના સમાચાર મળતાં પરિવારજનોમાં ચિંતા વ્યાપી છે.

પ્લેન ક્રેશ થતા પરિવારમાં ચિંતાનો માહોલ
આ ઘટનામાં ભરુચના જંબુસરનો યુવાન પ્લેનમાં સવાર હતો. સારોદ ગામનો પટેલ સાહિલ સલીમ પ્લેનમાં સવાર હતો. સ્ટુડન્ટ વિઝા પર લંડન જઈ રહ્યો હતો. સાહિલ સીટ નંબર 38H પર સવાર હતો. પ્લેન ક્રેશ થતા પરિવારમાં ચિંતાનો માહોલ છવાયો છે.

વિમાનમાં પાલનપુરના બે લોકો હોવાની આશંકા
અમદાવાદથી લંડન જઈ રહેલા વિમાનમાં પાલનપુરના બે લોકો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. પાલનપુરના લાભુબેન ઠક્કર અને રમેશભાઈ ઠક્કર હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે. પાલનપુરના લક્ષમણ ટેકરી વિસ્તારમાં રહેતા લાભુબેનના પાડોસીઓમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો છે.

ભાજપના નેતા પરિવાર સાથે પ્લેનમાં હતા
અમદાવાદમાં પ્લેન દુર્ઘટનામાં ભાજપ નેતા બદરૂદીન હાલાણી પરિવાર સાથે સવાર હતા.વાપીમાં ભાજપના હોદ્દા પર જવાબદારી નિભાવી ચૂક્યા છે. પત્ની, ભાભી સાથે UK દીકરાને મળવા જઇ રહ્યા હતા. યાત્રાના ફોટા પણ સોશિયલ મીડિયા પર શેર કર્યા હતા.

અરવલ્લી જિલ્લાના ત્રણ લોકો પ્લેનમાં સવાર
અમદાવાદમાં એર ઈન્ડિયાનું પ્લેન ક્રેશ ઘટનામાં અરવલ્લી જિલ્લાના ત્રણ લોકો પ્લેનમાં સવાર હતા. મોડાસાના નુસરતજહા જેથરા, ખંભીસરના જયશ્રીબેન પટેલ, બાયડના કૈલાશબેન પટેલ આ ત્રણ લોકો સવાર હતા.

ખેડાના મહેમદાવાદના યુવકનો આબાદ બચાવ

અમદાવાદમાં પ્લેન ક્રેશની ઘટનામાં ખેડાના મહેમદાવાદના યુવકનો આબાદ બચાવ થયો છે. રુદ્ર ચિરાગભાઈ પટેલ લંડન જવાનો હતો. રુદ્રને આ ઘટનામાં સામાન્ય ઈજા થઈ છે. આ સાથે જ ભરૂચના જંબુસરની મહિલા હતી સાજેદાબેન લંડનમા રહેતી તેમની પુત્રીને ત્યાં જઈ રહ્યા હતા. આ ઘટનાને લઈ સારોદ અને કાવી ગામમાં ચિંતાનો માહોલ છવાયો છે.

પત્ની અને બાળક સાથે લંડન જઈ રહ્યા હતા

માંગરોળના કોસંબાનું દંપતી પ્લેનમાં સવાર હતું. અર્જુનસિંહ, પત્ની દિવ્ય વાસદીયા લંડન જતા હતા. દીકરો એરપોર્ટ પર મૂકી કોસંબા આવી રહ્યો હતો. દીકરો એરપોર્ટ પર મૂકી કોસંબા આવી રહ્યો હતો. પ્લેન ક્રેશમાં સુરતનો પરિવાર સવાર હતો. આ પરિવાર પત્ની અને બાળક સાથે લંડન જઈ રહ્યા હતા.

પ્લેનમાં દીવના 11 મુસાફરો સવાર હતા

પ્લેન દુર્ઘટનામાં વડોદરાનો પરિવાર સવાર હતો. પ્લેન ક્રેશમાં વડોદરાના કલ્પના પ્રજાપતિ સવાર હતા. માંજલપુર ધનલક્ષ્મી કોમ્પ્લેક્ષમાં રહેતા હતા. અમદાવાદમાં એર ઈન્ડિયાનું પ્લેન ક્રેશની ઘટનામાં દીવના 11 મુસાફરો સવાર હતા. દિવ જિલ્લા કલેક્ટરની ટીમ અમદાવાદ જવા રવાના થઈ છે. વેરાવળનું દંપતી પ્લેનમાં હોવાનું સામે આવ્યું છે. રાજુભાઈ જીમુલીયા અને તેમના પત્ની લંડન જઈ રહ્યાં હતા. પ્લેન ક્રેશ થતા પરિવારજનો ચિંતામાં મુકાયા છે.

  • Follow us on: