જનરલ મેનેજરે આ દરમિયાન અમદાવાદ, સાબરમતી અને ભુજ સ્ટેશનો પર ચાલી રહેલા રી ડેવલોપમેન્ટ કાર્ય ની પ્રગતિ, આદરજ મોટી-વિજાપુર ગેજ પરિવર્તન, સાબરમતી-અસારવા વાય કનેક્ટિવિટી, ગાંધીધામ-આદિપુર લાઇનનું ચૌહરિકરણ, સામખ્યાલી-ગાંધીધામ ચૌહરિકરણ, અમદાવાદ યાર્ડ રિમોડેલિંગ, વટવા-અમદાવાદ-સાબરમતી ચોથી લાઇન, નલિયા-જખો પોર્ટ નવી લાઇન વગેરે પ્રોજેક્ટ્સના કાર્યની પ્રગતિની સમીક્ષા કરી.
યાત્રીઓને બહેતર સુવિધાઓ મળી શકે અને પરિચાલન કાર્યક્ષમતામાં વધારો થાય
બેઠકમાં જનરલ મેનેજર ગુપ્તાએ અમદાવાદ ડિવિઝનમાં ચાલી રહેલા સ્ટેશન રી ડેવલોપમેન્ટ કર્યો , રોડ ઓવરબ્રિજ (આરઓબી), રોડ અંડરબ્રિજ (આર યુ બી), પેસેન્જર સુવિધા અપગ્રેડ, સુરક્ષા અને પરિચાલન સુધાર કાર્યોની મુદ્દાવાર સમીક્ષા કરી. તેમણે અધિકારીઓ પાસેથી દરેક પ્રોજેક્ટની વર્તમાન સ્થિતિ, તેના પૂર્ણતા લક્ષ્ય, આવનારા કોઈપણ તકનીકી અથવા પ્રશાસનિક અવરોધો અને તેના નિરાકરણ માટે લેવામાં આવી રહેલા પગલાં વિશે પૂછપરછ કરી. તેમણે એવો પણ નિર્દેશ આપ્યો હતો કે તમામ નિર્માણ કાર્યો નિર્ધારિત સમય- મર્યાદામાં ગુણવત્તાયુક્ત રીતે પૂર્ણ કરવામાં આવે, જેથી યાત્રીઓને બહેતર સુવિધાઓ મળી શકે અને પરિચાલન કાર્યક્ષમતામાં વધારો થાય.













