અમદાવાદમાં ગણેશ મહોત્સવ વખતે દુર્ઘટના બની હોવાની ઘટના સામે આવી છે. નરોડામાં બાપાસીતારામ ચોક પાસે સ્લેબ તૂટ્યો હતો. સ્લેબ ધરાશાયી થતા 10 જેટલા લોકો નીચે પટકાયા હતા, સ્લેબ પડતા ગ્રાઉન્ડ ફ્લોર ઉપરથી બેઝમેન્ટમાં લોકો પડ્યાં હતા. આસપાસના સ્થાનિક અને ફાયર વિભાગે રેસ્ક્યુ ઓપરેશન કરી લોકોને બહાર કાઢ્યા હતા. આ દુર્ઘટનામાં બે લોકોને સામાન્ય ઇજા થતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.


અમદાવાદમાં ગણેશ મહોત્સવ વખતે દુર્ઘટના

નવા નરોડા બાપા સીતારામ ચોક પાસે સ્લેબ તૂટી જવાની ઘટના સામે આવી છે. ગઈકાલે રાત્રે ગણેશજી જોવા એકત્રિત થયેલ લોકો સ્લેબ પડતા દટાયા હતા. પ્રતિમા જોવા ઉભેલા લોકો સ્લેબ પડતા બેઝમેન્ટમાં પટકાયા હતા. ગ્રાઉન્ડ ફ્લોર પર ઉભેલા લોકો ભોંયરાનો સ્લેબ પડતા બેઝમેન્ટમાં પડ્યા હતા. સ્થાનિક લોકો અને ફાયર વિભાગે મદદ કરી લોકોને બહાર કાઢ્યાં હતા.

 બે લોકોને સામાન્ય ઇજા 

આ ઘટનામાં 10 જેટલા લોકો નીચે પલકાયા હતા. બે લોકોને સામાન્ય ઇજા થતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. સ્લેબ ધરાશાયી થતા 10 જેટલા લોકો નીચે પટકાયા હતા, સ્લેબ પડતા ગ્રાઉન્ડ ફ્લોર ઉપરથી બેઝમેન્ટમાં લોકો પડ્યાં હતા. આસપાસના સ્થાનિક અને ફાયર વિભાગે રેસ્ક્યુ ઓપરેશન કરી લોકોને બહાર કાઢ્યા હતા.


  • Follow us on: