અમદાવાદના નવા વાડજમાં દીવાલ ધરાશાયી થતા 1નું મોત થયું છે. વહેલી સવારે દીવાલ તૂટતા અનેક વાહનો દટાયા છે. દીવાલ પડવાથી નજીકમાં ઉભેલો યુવક દટાયો હતો. આ ઘટનાની જાણ થતા સ્થાનિકો એકઠા થઈ ગયા હતા. લોકોએ યુવકને બહાર કાઢીને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યો હતો. જો કે યુવકનું રસ્તામાં જ મોત થયું હતું. આ ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી.


નવા વાડજમાં દીવાલ ધરાશાયી થતા 1નું મોત 

નવા વાડજ વિસ્તારમાં કોર્પોરેશનની AMTSની દીવાલ પડવાની ઘટના સામે આવી હતી. આ ઘટનાની જાણ થતા આસપાસમાં રહેતા લોકો એકઠા થઈ ગયા હતા. દીવાલ પાસે નજીકમા રહેતો યુવક સુરેશ ભરવાડ નામનો યુવક દીવાલના કાટમાળમાં દટાયો હતો. યુવકને સ્થાનિકોએ બહાર કાઢીને સારવાર માટે ખસેડ્યો હતો. જો કે યુવક ગંભીર રીતે ઘાયલ થયો હતો. જેનું સારવાર દરમિયાન મોત થયું હતું.

AMTS બસ ડેપોની વર્ષો જૂની દીવાલ ધરાશાયી 

AMTS બસ ડેપોની વર્ષો જૂની દીવાલ હતી છતા પણ તંત્ર દ્વારા કોઈ ધ્યાન ન આપવામાં આવતા ધરાશાયી થઈ છે. અનેકવાર રજૂઆત કરવા છતાં દીવાલ ન હટાવી અને એકનું મોત થયું છે. તંત્રની બેદરકારીએ વધુ એક વ્યક્તિનો જીવ લીધો છે. હાલ તંત્ર દ્વારા કાટમાળ હટાવવાની કામગીરી કરવામાં આવી રહી છે.


  • Follow us on: