અંબાજીમાં મહાકુંભમાં ભક્તોનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે. અત્યાર સુધીમાં 4 લાખ માઈ ભક્તોએ દર્શન કર્યા છે. અંબાજી મંદિરમાં દર્શન કરવા ભક્તોની ભારે ભીડ જામી છે. અંબાજીના માર્ગો જય અંબેના નાદથી ગૂંજ્યા છે. દૂર દૂરથી ભક્તો પગપાળા પહોંચી અંબાજી રહ્યા છે. અંબાજી મંદિરને રંગબેરંગી ફૂલોથી શણગાર્યું છે. પરિસરમાં 20 જેટલા પ્રસાદના કાઉન્ટર ઊભા કરાયા છે.
મહાકુંભમાં ભક્તોનો ભારે ધસારો













