અંબાજીમાં ભાદરવી મહાકુંભ 2025નો વિધિવત પ્રારંભ થયો છે. મહાકુંભની શરૂઆત દાંતા માર્ગ પર રથ ખેંચીને કરવામાં આવી છે. પૂજા અર્ચના બાદ શ્રીફળ વધેરીને રથ ખેંચીને પ્રારંભ કરાયો છે. અંબાજી તરફના તમામ માર્ગો પર ભક્તો ઉમટી પડ્યા છે. આજથી અંબાજી મંદિર સવારે 6 વાગ્યાથી ખુલ્લુ થયું છે. અંબાજી મંદિર રાત્રીના 12 વાગ્યા સુધી ખુલ્લું રહેશે. પોલીસ પણ મોટી સંખ્યામાં તમામ પોઇન્ટ પર હાજર રાખવામાં આવી છે.


બાજી મંદિર સવારે 6 વાગ્યાથી રાતના 12 વાગ્યા સુધી ખુલ્લુ રહશે

અંબાજી ખાતે હાલમાં 5000 પોલીસ જવાનો હાજર છે. મંદિર ટ્રસ્ટ દ્વારા 29 સમિતિઓ બનાવવામાં આવી છે. અંબાજી મંદિરના ચેરમેન, જિલ્લા પોલીસવડા, વહીવટદાર સહિત મોટી સંખ્યામા વહીવટી અને પોલીસ તંત્રની હાજરીમાં મેળો ખુલ્લો કરાયો છે. કલેક્ટર, એસપી, વહીવટદાર દ્વારા ભક્તોને ભોજન આપવામાં આવ્યું છે. લાખો માઈ ભક્તો હાલ અંબાજી ખાતે આવી રહ્યા છે. અંબાજી તરફના તમામ માર્ગો ઉપર ભક્તોનુ ઘોડાપૂર જોવા મળ્યું છે.

માર્ગો ઉપર ભક્તોનુ ઘોડાપૂર જોવા મળ્યું

આજથી અંબાજી મંદિર સવારે 6 વાગે થી ખુલ્લુ થયું અને રાત્રીના 12 વાગ્યા સુધી ખુલ્લું રહેશે. 51 શક્તિપીઠ સર્કલ પાસે મંદિરનો પ્રવેશ દ્વાર બનાવવામાં આવ્યો છે. અંબાજી આવ્યા બાદ 4 જગ્યા ઉપર નિઃશુલ્ક ભોજનાલય શરૂ કરાઈ છે. પોલીસ વિભાગ દ્વારા કાયદા વ્યવસ્થા માટે 9 સેક્ટર અને 22 ઝોન બનાવવામાં આવ્યા છે. ભક્તોને કોઈ અડચણ ન થાય તે માટે અંબાજી ખાતે હાલમાં 5000 પોલીસ જવાનો હાજર રાખવામાં આવ્યા છે.


  • Follow us on: