અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાને લઇ તૈયારીઓ પૂર્ણ થઈ છે. 1થી 7 સપ્ટેમ્બર સુધી ભાદરવી પૂનમના મેળાનો ઉત્સવ છે. ભક્તો માટે વિના મૂલ્યે રહેવા સહિતની સુવિધાઓ ઉભી કરવામાં આવી છે. યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા હાઇટેક ડોમ તૈયાર કરાયો છે. અંબાજી મેળામાં વિશેષ પાર્કિંગ સ્લોટ બુક કરી શકાશે. મેળા દરમિયાન મંદિરમાં દર્શનના સમયમાં પણ વધારો કરવામાં આવ્યો છે.
અંબાજીમાં ભાદરવી પૂનમના મેળો
ભાદરવી મહાકુંભ શરૂ થવાના પર્વ પહેલાં તંત્ર દ્વારા તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. 1 સપ્ટેમ્બર થી 7 સપ્ટેમ્બર સુધી ભાદરવી મહાકુંભ યોજાશે. ભક્તો માટે વિના મૂલ્યે રોકાવાની, મોબાઈલ ચાર્જિંગ, પાણી, મેડિકલ, બાથરૂમ સહિતની હાઈટેક સુવિધાઓ કરવામાં આવી છે. ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા જર્મન હાઈટેક સુવિધાઓ સાથે ડોમ તૈયાર કરાયો છે.અંબાજી મંદિર ખાતે ભક્તો મોટી સંખ્યામાં દર્શન કરવા આવી રહ્યા છે. આ મેળામાં વિશેષ પાર્કિંગ સ્લોટ બુક કરી શકાશે. મેળા દરમિયાન મંદિરનો દર્શન સમય પણ વધારવામાં આવ્યો છે.
સપ્ટેમ્બર થી 7 સપ્ટેમ્બર સુધી ભાદરવી મહાકુંભ
ભાદરવી પૂનમના મેળાને લઇ અને યાત્રાળુઓને કોઈ અગવડ ન થાય તેવું આયોજન કરવામાં આવ્યું છે. અંબાજીમાં ભાદરવી પૂનમના મેળો શ્રદ્ધા અને ભક્તિનું અનોખું સંગમ છે. આ મેળામાં લાખો શ્રદ્ધાળુઓ પહોંચવાના છે, શ્રદ્ધાળુઓને સુવિધા પૂરી પાડવામાં આવશે. પ્રસાદ વિતરણ માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. આ મેળામાં વિશેષ પાર્કિંગ સ્લોટ બુક કરી શકાશે. મેળા દરમિયાન મંદિરનો દર્શન સમય પણ વધારવામાં આવ્યો છે.