કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ ફરી એક વખત પોતાના વતન ગુજરાતની મુલાકાતે આવશે. આગામી સોમવારે એટલે કે 22મી સપ્ટેમ્બરે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાત આવશે અને રાજકોટમાં ખેડૂત સંમેલનમાં હાજરી આપશે. આ દરમિયાન રાજકોટ જિલ્લા બેન્ક સહિતની સંસ્થાઓની સામાન્ય સભા યોજવામાં આવશે. રાજકોટ ડિસ્ટ્રિક્ટ બેન્કના ચેરમેન જયેશ રાદડિયાની આગેવાનીમાં ખેડૂત સંમેલનની તડામાર તૈયારીઓ ચાલી રહી છે.


જયેશ રાદડિયાની આગેવાનીમાં ખેડૂત સંમેલનની તૈયારીઓ

તમને જણાવી દઈએ કે અમિત શાહની હાજરીમાં 50,000થી વધુ ખેડૂતોનું સંમેલન યોજાશે. ત્યારે જયેશ રાદડિયા માટે સૌરાષ્ટ્રના પાટીદાર ચહેરા તરીકે ચમકવા માટે આ મોટું પ્લેટફોર્મ છે. રાદડિયા માટે વિરોધી જૂથને સાઈડલાઈન કરવાની સાથે શક્તિ પ્રદર્શન માટે મોટો મોકો છે. રાજકોટમાં એક સમયે 1 લાખ ખેડૂતોનું વિશાળ સંમેલન બોલાવવાનો રેકોર્ડ સ્વ. વિઠ્ઠલભાઈ રાદડિયાના નામે છે. તમને જણાવી દઈએ કે 2 દિવસ પહેલા જ ગૃહપ્રધાન ગુજરાતના પ્રવાસે હતા અને આ દરમિયાન અનેક મહત્વપૂર્ણ કાર્યક્રમોમાં હાજરી આપશે. અમિત શાહે આ દરમિયાન ગાંધીનગર અને અમદાવાદમાં આયોજિત ત્રણ મુખ્ય કાર્યક્રમોમાં હાજરી આપી હતી.

વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પલેક્સનું લોકાર્પણ કર્યું

ઉલ્લેખનીય છે કે અમિત શાહે ગઈકાલે 14 સપ્ટેમ્બરે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે યોજાનાર હિન્દી દિવસ 2025 અને પાંચમું અખિલ ભારતીય રાજભાષા સંમેલન કાર્યક્રમમાં ભાગ લીધો હતો. ત્યારબાદ બપોરે 1:55 કલાકે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ સાથે અમદાવાદના વૈષ્ણવદેવી સર્કલ નજીક આવેલા સરદારધામ ખાતે યોજાયેલા અભિવાદન સમારોહમાં હાજરી આપી હતી. આ સમારોહ સરદારધામ દ્વારા આયોજિત કરવામાં આવ્યો હતો. ત્યારે દિવસના અંતે બપોરે 3:00 કલાકે અમદાવાદના નારણપુરા ખાતે વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પલેક્સના લોકાર્પણ કાર્યક્રમમાં હાજરી આપી હતી અને આ કોમ્પલેક્સનું લોકાર્પણ કર્યું હતું.


  • Follow us on: