રાજ્યમાં પડેલા કમોસમી વરસાદના કારણે રાજ્યના ખેડૂતોનો પાક સંપૂર્ણપણે નિષ્ફળ ઘયો છે. સરકારે પેકેજ જાહેર કરવાની તૈયારીઓ શરુ કરી દીધી છે અને આજે અથવા આવતીકાલે રાહત પેકેજ જાહેર થાય તેવી શક્યતા છે ત્યારે અમરેલીના ખેડૂતો પણ સરકાર પાસે સારા રાહત પેકેજની આશા રાખી રહ્યા છે.
ખાંભાના ખેડૂતોને સારા રાહત પેકેજની આશા
અમરેલીના ખાંભાના ખેડૂતોને સારા રાહત પેકેજની આશા છે કારણ કે પાક સંપૂર્ણપણે નાશ પામ્યો છે અને ખેડૂતોની હાલત ખરાબ થઇ ગઇ છે. સંદેશ ન્યૂઝ સાથે વાતચીત કરતા ખેડૂતોએ કહ્યું હતું કે ખેડૂતને બેઠો કરવાની જવાબદારી સરકારની છે.













