અમરેલી જિલ્લાના બાબરા પંથકમાં મેઘરાજાની મહેર છલકાઈ છે, પરંતુ તેની સાથે જ તંત્રની ઘોર બેદરકારી પણ છતી થઈ છે. ગઈકાલે પડેલા ભારે વરસાદને કારણે બાબરાનો રામપરા ડેમ છલકાઈ ગયો છે અને મોટાભાગના તળાવો તથા ચેકડેમો પણ છલકાઈ ગયા છે. પાણીની ભરપૂર આવક ખેડૂતો માટે ખુશી લાવી છે, પરંતુ લોકો, ખાસ કરીને બાળકો, ધસમસતા પાણીના પ્રવાહમાં નાહવા પડ્યા હોવાના દૃશ્યો ચિંતાજનક છે.
સ્થાનિક તંત્રની સુરક્ષા પર સવાલ













