અમરેલીના રાજુલા અને જાફરાબાદ પંથકમાં આજે મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે. લાંબા સમયના વિરામ બાદ થયેલા આ મુશળધાર વરસાદથી ખેડૂતો અને સામાન્ય જનતામાં ખુશીનો માહોલ છે. જોકે નવરાત્રિના આયોજનો માટે તૈયાર થયેલા ગ્રાઉન્ડમાં પાણી ભરાઈ જતા આયોજકોની ચિંતા વધી છે. રાજુલા શહેરમાં અને તેના ગ્રામ્ય વિસ્તારોમાં સારો વરસાદ નોંધાયો છે. જેના કારણે ખેતરોમાં ફરી એકવાર જીવંતતા આવી છે.













