અમરેલીમાં રોડ-રસ્તાના ધીમા કામને લઇ સ્થાનિકોમાં ફેલાયો આક્રોશ. રોષે ભરાયેલા જેસિંગપરાના સ્થાનિકોએ કર્યો ચક્કાજામ. નવા બની રહેલા બગસરા રોડનું કામ ધીમીગતિએ ચાલતુ હોવાથી લોકો ગીન્નાયા હતા. ગોકળગતિએ ચાલતી કામગીરીના કારણે સ્થાનિકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી હતી. કામગીરી દરમિયાન અણઘડ રિતે ચારે તરફ ખોદકામ કરી દેવામાં આવ્યું હતું. જેના કારણે ટ્રાફિક સમસ્યા અને અકસ્માતની સમસ્યાઓ વકરી હતી.
પાણીની લાઈનો તુટતા રહીશોને ભારે હાલાકી













