સાવરકુંડલાના કથાકાર રાજુગીરી ગોસ્વામીએ કચ્છમાં ચાલી રહેલી કથામાં ફરી ભાંગરો વાટયો છે. કચ્છમાં યોજાયેલી કથા દરમિયાન સમસ્ત બ્રહ્મ સમાજની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવાના ઈરાદાથી જાહેરમાં નિવેદન કર્યું છે. બ્રાહ્મણો ધાર્મિક વિધિના નામે ઉંધા ચશ્મા પહેરાવે છે તેવું નિવેદન રાજુગીરી ગોસ્વામીએ આપ્યું છે. વ્યાસપીઠ પરથી અપમાનજનક નિવેદનો બદલ કાયદેસરની કાર્યવાહીની ઉગ્ર માંગ ઉઠી છે.
રાજુગીરી ગોસ્વામીએ કચ્છમાં ચાલી રહેલી કથામાં ફરી ભાંગરો વાટયો













