આણંદ જિલ્લાના પેટલાદ તાલુકાના મોરડ ગામમાં આવેલ ખોડિયારપુરા વિસ્તારમાં એક અત્યંત કરુણ ઘટના બની છે. અહીં એક 15 વર્ષીય સગીર કુવામાં પડી જતાં તેનું મોત નીપજ્યું હતું. જેના કારણે સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. મોરડના ખોડિયારપુરામાં સાંજના સમયે દશરથભાઈ વિનુભાઈ પરમાર નામનો સગીર અકસ્માતે કુવામાં પડી ગયો હતો.


ખોડીયારપુરામા સગીર કુવામાં પડી જતાં મોત

આ ઘટનાની જાણ થતાં જ કરમસદ-આણંદ ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસના જવાનો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. ફાયર બ્રિગેડના જવાનોએ કુવામાંથી સગીરના મૃતદેહને બહાર કાઢવા માટે ભારે જહેમત ઉઠાવી હતી. ફાયર બ્રિગેડની ટીમે આખરે દશરથભાઈ પરમારના મૃતદેહને કુવામાંથી બહાર કાઢ્યો હતો.

કિશોરના મોતથી પરિવારજનોમાં શોકનો માહોલ છવાયો

ઘટનાસ્થળે હાજર મેડિકલ ટીમે સગીરને તપાસીને તેને મૃત જાહેર કર્યો હતો. 15 વર્ષના કિશોરનું આ રીતે અકસ્માતે મોત થતાં પરિવારજનોમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. પોલીસે ઘટના અંગે વધુ કાર્યવાહી હાથ ધરી છે અને આ અકસ્માત કયા સંજોગોમાં બન્યો તેની તપાસ શરૂ કરી છે.


  • Follow us on: