આણંદના બોરસદમાં આખલા યુદ્ધ જોવા મળ્યું. સતત 1 કલાક સુધી બંને આખલાઓએ લોકોને રસ્તા પર બાનમાં લીધા હતા. આખલા યુદ્ધથી સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળ્યો તો. રખડતાં ઢોરોના ત્રાસને કારણે લોકો હેરાન પરેશાન થઇ રહ્યા છે.


ભર બજારે બે આખલાઓ યુદ્ધે ચઢ્યા

બોરસદ વિસ્તારમાં ભર બજારે બે આખલાઓ યુદ્ધે ચઢતા લોકો ડરી ગયા હતા. સતત એક કલાક સુધી આખા વિસ્તારને બે આખલાઓએ બાનમાં લીધો હતો. બંને આખલાઓ બાખડી પડતાં સ્થાનિકોમાં ભયનો માહોલ ફેલાયો હતો. ત્યાંથી અવર જવર કરતા વાહનચાલકોમાં પણ ભય જોવા મળ્યો હતો. શહેરમાં રખડતાં ઢોરોની સમસ્યા વધતા લોકો હેરાન પરેશાન થઇ રહ્યા છે અને ઝડપથી આ સમસ્યાનું નિરાકરણ આવે તેવી માગ કરી રહ્યા છે.

રખડતાં ઢોરોના કારણે લોકો ત્રાહિમામ

મળતી માહિતી પ્રમાણે આણંદના બોરસદમાં રખડતા ઢોરોના ત્રાસને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. અવર જવર કરવાના રસ્તે વચ્ચો બેસતા પશુઓ, કાં તો આખલાઓ બાખડતાં લોકોને પરેશાનીનો સામનો કરવો પડે છે. અવાર નવાર આવી ઘટનાઓ અનેક વખત સામે આવતી હોય છે. જેમાં રસ્તે અવર જવર કરતા પશુઓને કારણે અકસ્માત પણ સર્જાય છે. શહેરીજનોની માંગ છે કે વહેલી તકે રખડતા પશુઓની સમસ્યાનો નિકાલ કરવામાં આવે.


  • Follow us on: