કચ્છના અંજાર તાલુકાના અજાપર ગામમાં ગોચર જમીન પર વીજલાઈન નાખવાના મુદ્દે ગ્રામજનો દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવી રહ્યો છે. કોઈપણ જાતની મંજૂરી વગર વીજલાઈન નાખવાની કામગીરી શરૂ કરવામાં આવતાં ગ્રામજનોએ આ કામગીરી અટકાવી હતી. ગામલોકોને આ અંગે અગાઉથી કોઈ જાણ કરવામાં આવી ન હોવાથી તેમનામાં રોષ જોવા મળ્યો છે.
પોલીસ અને ગ્રામજનો વચ્ચે બોલાચાલી













