કચ્છના અંજાર શહેરમાં આવેલા ઐતિહાસિક ગણેશ તળાવ પરના ગેરકાયદેસર દબાણોને હટાવવા માટે વહીવટી તંત્ર દ્વારા એક મોટી અને સઘન કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ કાર્યવાહીમાં તળાવની આસપાસની રૂ.89 લાખની કિંમતની 4200 ચોરસ મીટર સરકારી જમીન ભૂમાફિયાઓના કબ્જામાંથી મુક્ત કરવામાં આવી છે. લાંબા સમયથી ભૂમાફિયાઓ દ્વારા ગણેશ તળાવના કિનારે દબાણ કરીને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલતી હતી. આ લોકોએ તળાવની જમીનમાં પુરાણ કરીને 8 જેટલા મોટા દબાણો કર્યા હતા.
ભુમાફિયા દ્વારા પુરાણ કરીને 8 દબાણ કરાયા હતાં













