- પૈસા બાબતની ઉઘરાણી મામલે બોલાચાલી થતા મામલો હત્યા સુધી પહોંચ્યો
- પ્રત્યક્ષ દર્શીએ પોતાના મોબાઈલ ફોનમાં ઘટના કેદ કરી
- આરોપીના રિમાન્ડની માંગ સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા
અંજાર શહેર ખાતે બપોરના સમયે ગંગાનાકા વિસ્તારમાં સરાજાહેર માત્ર 5000 રૂપિયાની ઉઘરાણી બાબતમાં થયેલ બોલાચાલીની ઘટના હત્યાની ઘટનામાં પરિવર્તિત થઈ હોવાનું સામે આવ્યું છે. સમગ્ર મામલે 45 વર્ષીય જગદીશ દાતણિયા નામના વ્યક્તિની છરીના ઘા ઝીંકીને કાનજી દાતણિયા દ્વારા હત્યા કરી હોવાનું સામે આવ્યું છે.
પ્રત્યક્ષ દર્શીએ પોતાના મોબાઈલ ફોનમાં ઘટના કેદ કરી













