ભરૂચ જિલ્લાના ઔદ્યોગિક શહેર અંકલેશ્વરમાં આજે ધોધમાર વરસાદ વરસ્યો છે. જેના કારણે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયાં હતાં. આ મુશળધાર વરસાદને લીધે જનજીવન અને વાહનવ્યવહારને ભારે અસર પહોંચી હતી. ખાસ કરીને શહેરને જોડતા મુખ્ય માર્ગો પર પાણી ભરાઈ જતાં વાહનવ્યવહાર ધીમો પડ્યો હતો. આ વિસ્તારમાંથી પસાર થતી આમલખાડી પણ બે કાંઠે વહેતી થઈ હતી. જેના કારણે તેની આસપાસના વિસ્તારોમાં પાણી ફરી વળ્યાં હતાં.
વરસાદ શરૂ થતાં જ રસ્તાઓ પર પાણી ફરી વળ્યા













