અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકામાં એક ગંભીર ઘટના સામે આવી હતી. જેમાં ગાયના વેપારીઓએ એક પશુપાલક પર જીવલેણ હુમલો કર્યો હતો. આ ઘટના બાદ પશુપાલકને તાત્કાલિક સારવાર માટે વાત્રક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. બાયડમાં આ ઘટના બની હતી. જ્યાં એક પશુપાલકે ગાયના વેપારી પાસેથી એક ગાય ખરીદી હતી. પરંતુ ખરીદી વખતે થયેલી શરતો મુજબ તે ગાય ન નીકળતા પશુપાલક તે ગાયને પરત કરવા માટે વેપારી પાસે ગયો હતો. આ વાત પર ઉશ્કેરાઈને વેપારીઓએ પશુપાલક પર હુમલો કર્યો હતો.
શરત પ્રમાણે ગાય ન નીકળતા ગાય પરત કરવા ગયા હતા












