ઘણા દિવસોથી અસહ્ય ઉકળાટ અને ગરમી બાદ આજે અરવલ્લી જિલ્લાના માલપુર પંથકમાં સાંજના સુમારે ધોધમાર વરસાદ વરસ્યો હતો. આકરા તાપ અને ગરમીથી કંટાળેલા લોકોને વરસાદ આવતા જ ગરમીથી રાહત મળી હતી. તેમજ સમગ્ર વિસ્તારના વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. છેલ્લા કેટલાક સમયથી વરસાદ ખેંચાતા ખેડૂતો ચિંતિત બન્યા હતા. વરસાદના અભાવે ખેતરોમાં ઉભા પાક સુકાઈ રહ્યા હતા. જેના કારણે ખેડૂતોને ભારે નુકસાન થવાનો ભય રહેલો હતો.


અસહ્ય ઉકળાટ બાદ વરસાદથી ઠંડક પ્રસરી

જ્યારે આજે પડેલા ધોધમાર વરસાદથી ખેડૂતોમાં ખુશીની લહેર વ્યાપી ગઈ હતી. આ વરસાદથી સુકાઈ રહેલા પાકને જીવનદાન મળ્યું હતું. તેમજ ખેતીના પાકને મોટો ફાયદો પણ થયો હતો. માલપુર શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ સારો એવો વરસાદ નોંધાયો હતો. ભારે વરસાદથી કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. પરંતુ થોડા જ સમયમાં પાણીનો નિકાલ પણ થઈ ગયો હતો.

વરસાદથી સુકાઇ રહેલી ખેતીના પાકને ફાયદો

ખેડૂતો હવે એવી આશા રાખી રહ્યા છે કે આ વરસાદની જેમ જ આવનારા દિવસોમાં પણ સારો વરસાદ થશે, જેથી ખેતીનો પાક સારો ઉતરી શકે અને તેમને સારો નફો મળી શકે. આ વરસાદથી લોકોને ગરમીમાંથી રાહત મળી હતી. એટલુંજ નહીં પણ આ વરસાદથી ખેડૂતોને પણ રાહત અનુભવાઈ હતી. આ વરસાદથી ખેતીને પણ નવજીવન મળ્યું હતું.


  • Follow us on: