અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના અમિયાપુર ગામના સરપંચ પટેલ હસીનાબેન અલ્પેશભાઈને ભ્રષ્ટાચારના આરોપોસર સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તેમના વિરુદ્ધ વિકાસના કાર્યોમાં ગેરરીતિ આચરી હોવાની અરજી કરવામાં આવી હતી. જે અરજીને ધ્યાનમાં લઈ તેની તપાસ કરવામાં આવી હતી. જે મામલે કાર્યવાહી કરતાં અમિયાપુર ગામના સરપંચને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.


ફરિયાદને ગંભીરતાથી લઈ વિકાસ કમિશનર દ્વારા તપાસનો આદેશ

અમિયાપુર ગામના એક અરજદારે અમિયાપુર ગામમાં થયેલા વિકાસના કામોમાં વ્યાપક ગેરરીતિ અને ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવા અંગે વિકાસ કમિશનરને લેખિત ફરિયાદ કરી હતી. આ ફરિયાદને ગંભીરતાથી લઈ વિકાસ કમિશનર દ્વારા સમગ્ર મામલે તપાસના આદેશ આપવામાં આવ્યા હતા. વિકાસ કામોમાં ગેરરીતિની તપાસ સાથે અમિયાપુર ગામના સરપંચ પટેલ હસીનાબેન અલ્પેશભાઈને તાત્કાલિક પણે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.

તપાસમાં ભ્રષ્ટાચાર આચર્યા હોવાના પુરાવા મળ્યા હતા

કમિશનર દ્વારા કરવામાં આવેલા તપાસના આદેશ બાદ જ્યારે તપાસ કરવામાં આવી હતી તે દરમિયાન વિકાસ કામોમાં ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યા હોવાના પુરાવા મળી આવ્યા હતા. જેના કારણે આખરે અમિયાપુર ગામના સરપંચ પટેલ હસીનાબેન અલ્પેશભાઈને તેમના પદ પરથી સસ્પેન્ડ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ કાર્યવાહીથી સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવ્યો છે અને પારદર્શિતા જાળવવા માટે તંત્ર કટિબદ્ધ હોવાનો સંદેશો પણ ગયો છે.


  • Follow us on: