બનાસકાંઠાના થરાદ પાસેથી પસાર થતી નર્મદા કેનાલમાં મોતનો સિલસિલો યથાવત છે. આ કેનાલમાંથી ફરી મૃતદેહ મળી આવ્યા છે. આ વખતે બે યુવતીના મૃતદેહ મળ્યા છે. મહાજનપુરા પંપીંગ સ્ટેશન ફાટકમાંથી બે મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે. અજાણી બે યુવતીના મૃતદેહ મળતા આસપાસના વિસ્તારોમાં ચર્ચાનો દૌર શરુ થયો છે. આ મામલે પોલીસે તપાસ તેજ કરી છે. અને ઘટનાનું કારણ જાણવા માટે સ્થાનિકો સાથે પૂછપરછ કરવામાં આવી રહી છે.


મૃતદેહોને લઇ તપાસ શરુ

થરાદના મહાજનપુરા પંપીંગ સ્ટેશન ફાટકમાંથી બે મૃતદેહોનું મળવું એ અનેક પ્રશ્ન ઉભા કરી રહ્યા છે. આ મૃતક યુવતીઓ કોણ હતી. કેમ અહીં આવી હતી. ક્યાંની સ્થાનિક છે. મોત પાછળ શું કારણ છે. તે બાબતે પોલીસે તપાસ શરુ કરી છે. અને વધુ માહિતી મેળવવા માટે પોતાના ચક્રો ગતિમાન કર્યાં છે. કેનાલના પંપિંગ સ્ટેશનમાંથી ફસાયેલા મૃતદેહોને ફાયર બિગેડે બહાર કાઢ્યા હતા. મૃતદેહોને પીએમ અર્થે હૉસ્પિટ ખસેડાયા છે. અને થરાદ પોલીસે સમગ્ર મામલે આગામી તપાસ હાથ ધરી છે.

મૃતક યુવતીઓ કોણ ?

થરાદની નર્મદા કેનાલમાંથી બે મૃતદેહ મળતા ચકચાર જોવા મળી રહી છે. બંને યુવતી કયા કારણોસર કેનાલ પાસે આવી હતી. અને કેમ કેનાલમાં કૂદી હતી. તે અંગે અનેક પ્રશ્નો ઉભા થયા છે. મોત મામલે કારણ અકબંધ છે. પોલીસ તપાસમાં સમગ્ર ઘટના અંગે કારણ જાણી શકાશે. 

  • Follow us on: