ભારતનો રાષ્ટ્રધ્વજ આપણા સમગ્ર દેશ માટે રાષ્ટ્રીય ગૌરવની બાબત છે. રાષ્ટ્રીય સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે રાષ્ટ્રધ્વજના સન્માનમાં "હર ઘર તિરંગા, હર ઘર સ્વચ્છતા: સ્વતંત્રતા કા ઉત્સવ, સ્વચ્છતા કે સંગ" ની થીમ આધારે વિવિધ કાર્યક્રમ યોજાઈ રહ્યા છે.


તિરંગા યાત્રા રેલીનું આયોજન કરાશે

બનાસકાંઠા જિલ્લામાં ૧૨ ઓગસ્ટ ૨૦૨૫ના રોજ સાંજે ૪ કલાકે પાલનપુર ખાતે જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા રેલીનું આયોજન કરાશે. આ તિરંગા યાત્રા રેલી પોલીસ હેડ કવાર્ટર, પાલનપુર થી લઈને કલેકટર કચેરી, પાલનપુર સુધી યોજાશે. આ તિરંગા યાત્રામાં જિલ્લાના અધિકારીશ્રીઓ, કર્મચારીશ્રીઓ, પદાધિકારીઓ જોડાશે. રાષ્ટ્રઘ્વજ પ્રત્યે આપણી ભાવના દર્શાવવા તમામ નાગરિકોએ આ તિરંગા યાત્રામાં સ્વયંભુ ઉપસ્થિત રહેવા વહિવટી તંત્ર દ્વારા આહવાન કરાયું છે. 

  • Follow us on: