શક્તિપીઠ અંબાજી ગુજરાતનું સૌથી મોટું શક્તિપીઠ છે. અંબાજી ખાતે દેશ વિદેશથી ભક્તો અહીં દર્શન કરવા આવે છે, ત્યારે અંબાજી ગામનો સંપૂર્ણ વહીવટ અંબાજી ગ્રામ પંચાયત હસ્તક ચાલે છે. અંબાજી ગ્રામ પંચાયતમાં હાલમાં વહીવટદારનું શાસન ચાલી રહ્યું છે. આજે અંબાજી ગ્રામ પંચાયત ખાતે સામાન્ય સભા યોજાઈ હતી, પરંતુ આ સામાન્ય સભામાં હોબાળો થતાં સરપંચની હાલત ખરાબ થતાં તેમને સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ગ્રામપંચાયતના સભ્યોએ સરપંચ પર વ્હાલાદવલાંની નીતિ રાખતા હોય તેવો આરોપ લગાવ્યો છે. ગ્રામસભામાં રજૂ કરવામાં આવેલા અમુક એજન્ડામા તીખી નોકઝોક પણ જોવા મળી હતી.
સરપંચની તબિયત લથડતા 108 મારફતે સિવિલ હોસ્પિટલ ખસેડાયા













