આણંદ જિલ્લાના પેટલાદમાં કરોડો રૂપિયાના ખર્ચેનવનિર્મિત રેલવે બ્રિજ માત્ર છ મહિનાના ટૂંકા ગાળામાં જ જર્જરિત થતા તેની કામગીરી સામે ગંભીર સવાલો ઉભા થયા છે. બ્રિજ પર ઠેર-ઠેર ખાડા પડી જતાં તંત્ર દ્વારા તાત્કાલિક ડામર પાથરવાની ફરજ પડી છે. પરંતુ આ માત્ર કામચલાઉ સમારકામ હોવાનું જણાઈ રહ્યું છે.
માત્ર છ મહિનામાં રસ્તા પર ડામર પાથરવો પડ્યો













