ભરૂચની દૂધધારા ડેરીમાં પક્ષના મેરિટ વિરુદ્ધ ઉમેદવારી નોંધાવનાર 9 લોકોને ભાજપે સસ્પેન્ડ કરી દેતા રાજકીય ક્ષેત્રે ખળભળાટ મચી જવા પામ્યો છે. ભરૂચની દુધધારા ડેરીની ચૂંટણીમાં ભાજપ મેન્ડેટ સામે બળવો કરનાર ઉમેદવારો સામે ભારતીય જનતા પાર્ટીના મોવડીઓએ લાલ આંખ કરી છે. બીજેપીના ધારાસભ્ય અરૂણસિંહ રણાને મોટો ફટકો પડ્યો છે. ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીએ અરૂણસિંહ રાણાની પેનલના 6 અને નર્મદા 3 ઉમેદવારોને પક્ષમાંથી સસ્પેન્ડ કરી દેતા રાજકીય ક્ષેત્રે ખળભળાટ મચી જવા પામ્યો છે.


ભાજપે 9 લોકોને સસ્પેન્ડ કર્યા

આ બાબતે ભરૂચ સાંસદે પણ લાલ આંખ કરી છે અને દુધધારાની ચૂંટણી લઈ નેતાઓ પર પ્રહાર કરતા જણાવ્યું કે જે આ થઈ રહ્યું છે એ ગણું ખોટું થઈ રહ્યું છે. આવનારા દિવસોમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પાર્ટીને મોટો ફટકો પડશે. જોકે આ બાબતે ભરૂચ નર્મદાના સંકલનને સાથે રાખી આ મેન્ડેટ અંગે ચર્ચા કરવામાં આવી હોત તો આ વિવાદ જ ન થાત પરંતુ આ કોઈના મહ્ત્વકાસાને કારણે પ્રદેશને ગેરમાર્ગે દોરી છે. પ્રદેશને ખબર ન હોઈ કે કોણ ભાજપના છે અને કોન નહિ પરંતુ મેન્ડેટ આપ્યા પછી પ્રદેશને ખબર પડી કે આમાં કેટલાક લોકો કોંગ્રેસના છે. અને મેન્ડેટ આપ્યા પછી ચિંન્હ બદલવામાં આવ્યા આ પ્રક્રિયા જે થઈ એ તદ્દન ખોટી થઈ છે.

ભરૂચની દુધધારા ડેરીની ચૂંટણી

આ પાર્ટીને ભવિષ્યમાં બોવ મોટું નુકસાન થવા જઈ રહ્યું છે, જો મેન્ડેટ આપવામાં આવ્યા તો ચિંન્હ કેમ બદલવામાં આવ્યા કારણ કે આ બિલકુલ ખોટું થઈ રહ્યું છે. જેને લઈ સાંસદે ભાજપ નાજર નેતાઓને આડે હાથે લઈ પોતાનો રોષ ઠાલવ્યો હતો. બીજી બાજુ અરૂણસિંહ રણા પણ આ પેનલને લઈ પ્રથમવાર મીડિયા સામે પ્રતિક્રિયા આપી અને એમને પણ પોતાનો રોષ ઠાલવ્યો છે.

  • Follow us on: