ભાવનગર સર.ટી.હોસ્પિટલમાં 81 મું અંગદાન કરવામાં આવ્યું હતું. 3 દિવસ પૂર્વે બોટાદ જિલ્લાના બરવાળા તાલુકાના ભીમનાથ-પોલારપુર ખાતે રહેતા ચેતનભાઈ દિનુભાઈ જાદવ નામનો 20 વર્ષીય યુવક મિત્રો સાથે બાઇક પર ટીંબી હોસ્પિટલ ખાતે જઈ રહ્યો હતો. એક છકડો રીક્ષા સાથે સર્જાયેલા અકસ્માતમાં ચેતનને માથાના ભાગે ગંભીર ઇજાઓ થઈ હતી અને જેને સારવાર માટે ભાવનગર સર.ટી.હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો હતો.


 સર.ટી.હોસ્પિટલમાં 81 મું અંગદાન

બીજા દિવસે ડોકટરે તેને બ્રેઇન ડેડ જાહેર કરતા અને પરિજનોને તેના શારીરિક અંગોને અન્ય લોકોને દાન આપવા અંગે સમજાવતા પરિવારના લોકો દ્વારા ચેતનના અંગો જેમાં ફેફસા,કિડની અને લિવરનું દાન કરવામાં આવ્યું હતું. ફેફસા માટે મુંબઇ એચ.એન.હોસ્પિટલ ખાતેથી પ્લેનમાં ડોકટરોની ટીમ આવી હતી જે ગ્રીન કોરિડોર મારફતે ફેફસા લઈ મુંબઇ જવા રવાના થઈ હતી.

 5 લોકોને ચેતનના અંગો દ્વારા નવજીવન મળશે

આ યુવકના લિવર અને કિડની બંને ને અમદાવાદ ઝાઇડ્સ હોસ્પિટલ ખાતે રવાના કરવામાં આવ્યા હતા. યુવકનું હૃદય પર કાર્યરત હતું પરંતુ ઓર્ગન મેચ ન થતા તે દાન કરી શક્યા ન હતા. આમ 5 લોકોને ચેતનના અંગો દ્વારા નવજીવન મળશે.

  • Follow us on: