PM નરેન્દ્ર મોદી ફરી એકવાર ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. આગામી 20 સપ્ટેમ્બરના રોજ PM મોદી ભાવનગરની મુલાકાત લેશે. તેઓ ભાવનગરમાં રોડ શો પણ કરશે. તેઓ ભાવનગરમાં રૂ.100 કરોડથી વધુના વિકાસ કાર્યોની ભેટ આપશે.આ કાર્યક્રમોમાં ગુજરાત મેરીટાઈમ બોર્ડ અને શિપિંગ ઉદ્યોગ સંબંધિત પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન પણ સામેલ છે. PMની આ મુલાકાત સૌરાષ્ટ્ર અને ખાસ કરીને ભાવનગરના વિકાસ માટે અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.


વડાપ્રધાનના રોડ શોનું નિરીક્ષણ કરવામાં આવ્યું

વડાપ્રધાનના ભાવનગર પ્રવાસ અંગે તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. આજે વડાપ્રધાનના રોડ શોનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. કેન્દ્રીય રાજ્યમંત્રી સહિત અધિકારીઓએ વડાપ્રધાનના રોડ શોનું નિરીક્ષણ કર્યું હતું. શહેરમાં મહિલા કોલેજથી જવાહર મેદાન સુધી વડાપ્રધાન મોદીનો રોડ શો યોજાશે.આજે રાજ્યમંત્રી નિમુંબેન બાંભણિયા અને મનપા કમિશ્નર સહિતના અધિકારીઓએ રોડ શોના રૂટનું નિરીક્ષણ કર્યું હતું. સમગ્ર કાર્યક્રમની તૈયારીઓની સમીક્ષા હાથ ધરી હતી.

આગામી ચૂંટણીઓમાં મોદીની સભા પક્ષને મજબૂત કરશે

PMની આ મુલાકાત માત્ર વિકાસ કાર્યો પૂરતી સીમિત નથી પરંતુ તેના રાજકીય પરિણામો પણ જોવા મળશે.ભાવનગર એ સૌરાષ્ટ્રનું પ્રવેશદ્વાર છે અને અહીંથી યોજાતો PMનો રોડ શો અને જાહેરસભા સમગ્ર પ્રદેશના રાજકીય માહોલને ગરમ કરશે.ભાજપ આ મુલાકાતનો ઉપયોગ આગામી ચૂંટણીઓ અને પક્ષને વધુ મજબૂત કરવા માટે કરશે.PM મોદીના નેતૃત્વ હેઠળ કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા થઈ રહેલા વિકાસ કાર્યોની માહિતી જનતા સુધી પહોંચાડવા માટે આ કાર્યક્રમ એક ઉત્તમ તક પૂરી પાડશે. આ મુલાકાતથી ગુજરાતના વિકાસ અને રાજકારણ બંને ક્ષેત્રે નવી ગતિવિધિઓ શરૂ થશે.


  • Follow us on: