ભાવનગર શહેરમાં વરસેલા વરસાદને કારણે ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા છે. શહેરમાં વરસાદી પાણી ભરાતા સ્થાનિકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ વરસાદી પાણીનો નિકાલ કરવા માટે મનપાના કર્મચારીઓ રસ્તા પર ઉતરી આવ્યા છે. પાણી ભરાયેલા સ્થળો ઉપર ડ્રેનેજના મેઈન હોલ ખોલવામાં આવ્યા છે. જેના કારણે પાણીનો નિકાલ કરવામાં સરળતા રહે. વરસતા વરસાદમાં ડ્રેનેજના મેઈન હોલ ખોલી ભરાયેલા પાણીના નિકાલ કરવાની કામગીરી શરૂ કરાતા સ્થાનિકોને રાહત થઇ છે.


ઠેર-ઠેર ભરાયા વરસાદી પાણી

ભાવનગર શહેરના કાળીયાબીડ વિસ્તાર તેમજ લીલા સર્કલ ખાતે મેઈન હોલ ખોલી વરસાદી પાણીનો નિકાલ કરવામાં આવ્યો છે. ભાવનગર શહેરમાં વરસાદે સર્જી તારાજી છે. પૂરની સ્થિતિ પેદા થઇ છે. ત્યારે વરસાદને લઈ ઠેર ઠેર પાણી ભરાયા છે. આ ગટરના પાણી અને વરસાદી પાણી એકત્ર થતા રસ્તા પર નદી જેવું વહેણ જોવા મળી રહ્યુ છે. તંત્રની કામગીરી શરુ છે. અને સ્થાનિકોને ઓછી તકલીફલ પડે તે માટે પ્રયાસ હાથ ધરાયા છે.

પાણીના નિકાલ માટે કામગીરી શરુ

ભાવનગર પંથકમાં ભારે વરસાદની પૂરની સ્થિતિ નિર્માણ થઇ છે. પાણી ભરાતા મનપાના કર્મચારીઓ દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી છે. પાણી ભરાયેલા સ્થળો પર ડ્રેનેજ લાઇન ખોલવામાં આવી છે. અને પાણીનો નિકાલ કરવામાં આવ્યો છે. કાળીયાબીડ, લીલા સર્કલ ખાતે પાણી ભરાયેલા છે. અને વાહન ચાલકોને મુશ્કેલી સર્જાઇ રહી છે. 

  • Follow us on: