ગુજરાત રાજ્યના શિક્ષણ વિભાગે શિક્ષક દિનની ઉજવણીને લઈને એક અત્યંત વિવાદાસ્પદ નિર્ણય લીધો છે. જેના કારણે શિક્ષણ જગતમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સરકારે રાજ્યની તમામ શાળાઓ અને કોલેજોના શિક્ષકોને જ ફાળો એકત્ર કરવાનું કામ સોંપ્યું છે. આ નિર્ણયથી શિક્ષકો મૂંઝવણમાં મુકાઈ ગયા છે. કારણ કે તેમનું મુખ્ય કાર્ય શિક્ષણ આપવાનું છે નહીં કે ભંડોળ એકત્ર કરવાનું.
શિક્ષક દિન નિમિત્તે ફાળો એકત્ર કરવા સૂચના













