ભાવનગરમાં અગાઉ એક વૃદ્ધને માર મારવાની ઘટના બાદ ઊભો થયેલો વિવાદ હવે વધુ ગરમાયો છે. રબારી સમાજની ચીમકી બાદ હવે પાટીદાર સમાજના આગેવાનોએ પણ આ મામલે પોતાનું નિવેદન આપ્યું હતું. સુરતના પાટીદાર સમાજના આગેવાનોએ જણાવ્યું હતું કે તેઓ આ ઘટનાને કોઈ પણ સંજોગોમાં ચલાવી લેશે નહીં. પાટીદાર સમાજના આગેવાનોએ જણાવ્યું હતું કે અમે 100 ગાડીઓ લઈને કાળા તળાવ ગયા હતા. પરંતુ અમારો વિરોધ કોઈ સમાજ પ્રત્યે નહોતો.
સુરતના પાટીદાર સમાજનાં આગેવાનોનું નિવેદન













