આણંદ જિલ્લામાંથી મહત્વના સમાચાર આવી રહ્યા છે. આણંદ જિલ્લાના બોરસદ તાલુકામાં આવેલી ખેડાસાની લક્ષ્મીપુરા પ્રાથમિક શાળામાં આજે બપોરે મધ્યાહન ભોજન યોજના માટે બાળકો માટે જ્યારે રસોઇ કરવામાં આવી રહી હતી ત્યારે અચાનક કૂકર ફાટ્યું હતું જેમાં ત્રણ લોકો દાઝી ગયા છે.


ખેડાસાની લક્ષ્મીપુરા પ્રા.શાળાનો બનાવ

આણંદના બોરસદ તાલુકાના ખેડાસાની લક્ષ્મીપુરા પ્રા.શાળાનો આ બનાવ છે જ્યાં મધ્યાહન ભોજન માટે બપોરના ભોજનની કામગિરી કરાઇ રહીહતી ત્યારે અચાનક જ કૂકર ફાટ્યું હતું જેના કારણે રસોઇયા સહિત ત્રણ લોકો દાઝ્યા હતા. ઇજાગ્રસ્તોને તત્કાળ હોસ્પિટલમાં ખસેડાયા છે. સદનસીબે મોટી જાનહાનિ ટળી હતી.

વાલીઓમાં દોડધામ

કૂકર ફાટ્યું હોવાના સમાચાર ગામમાં ફરી વળતા મોટી સંખ્યામાં વાલીઓ અને ગ્રામજનો શાળા પર દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્તોને 108 મારફતે સારવાર માટે ખસેડ્યા હતા. જો કે બાળકોને કંઇ નુકશાન ના થયું હોવાથી વાલીઓને હાશકારો થયો હતો.


  • Follow us on: