NPK ખાતરના ભાવમાં વધારો થતા ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. બોટાદ ભારતીય કિસાન સંઘ ખાતરના ભાવ વધારા સામે લડી લેવાના મૂડમાં છે. પ્રમુખ ઇન્દ્રસિંહ રાયજાદાએ ખાતરના ભાવ વધારા સામે રોષ વ્યક્ત કરતાં જણાવ્યું છે કે, ખાતરનો ભાવ વધારો ખેડૂતોને પોષાય તેમ નથી, સરકાર બે ધારી નીતિ અપનાવે છે જેના કારણે ખેડૂતોની હાલત કફોડી બની છે.
સરકાર બે ધારી નીતિ અપનાવે છેઃ રાયજાદા













