ગુજરાતમાં છેલ્લા બે દિવસથી ભારે વરસાદ વરસી રહ્યો છે. સૌરાષ્ટ્રમાં ગઈ કાલે બોટાદ જિલ્લામાં વરસાદે તારાજી સર્જી હતી. બોટાદના લાઠીદડ ગામમાં ઈકો કાર નદીના વહેણમાં તણાઈ જતાં સાત વ્યક્તિઓના મોત થયા હોવાની વિગતો સામે આવી છે. આ ઘટનાના ત્રણ દિવસ બાદ તમામ સાત લોકોના મૃતદેહો મળ્યા છે. ઈકો કારમાં કુલ 10 લોકો સવાર હતાં જેમાંથી બે લોકોનો બચાવ થયો છે. NDRFની ટીમે મૃતદેહોને બહાર કાઢ્યા હતાં.
ભારે વરસાદને કારણે નદીના પાણીનો પ્રવાહ વધ્યો હતો













