ગુજરાતમાં સર્જાયેલી ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં સરકારે તપાસના આદેશ આપ્યાં છે. માર્ગ અને મકાન વિભાગને ઘટનાનો તાત્કાલિક રીપોર્ટ આપવા આદેશ કરાયો છે. આ ઉપરાંત આ ઘટનામાં મૃતકોના પરિવારને ચાર લાખ તેમજ ઈજાગ્રસ્તોને 50 હજાર રૂપિયાની સહાય રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાઈ છે. કેન્દ્ર સરકારે પણ મૃતકોના પરિવારને બે લાખની સહાય જાહેર કરી છે.
4 લાખ રૂપિયાની સહાય રાજ્ય સરકાર આપશે













